અ્મદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોનાની વેકસીનની તૈયારીની સમીક્ષા માટે આજે અમદાવાદ આવ્યા… મેળવો પળેપળની માહિતી…
- વડાપ્રધાન મોદી અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસના બાયોટેક પાર્ક પહોચ્યા
- ઝાયડસ બાયોટેક પાર્કમાં કોરોના વાયરસની સારવાર માટે તૈયાર કરવામાં આવી રહેલી ઝાયકોવિડ વેક્સીનની સમીક્ષા કરશે
- પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ એરપોર્ટથી ચાંગોદર આવ્યા, ત્યાંથી કાર મારફતે ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા
- ઝાયડસના માલિક પંકજ પટેલ અને તેના પુત્ર શર્વિલ પટેલ પીએમ મોદીનું સ્વાગત કરશે
- પીએમ મોદીની મુલાકાતને પગલે ચાંગોદરમાં કડક સુરક્ષા
- ઝાયડસની ઝાયકોવિડ વેક્સીનનું બે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યુ છે
- હવે ટૂંક સમયમાં ઝાયડસની ઝાયકોવિડ વેક્સીનનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ થશેે
- ઉલ્લેખનિય છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અન્ય કોરોના વેકસીનનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે ત્યારે પીએમ મોદી અમદાવાદ આવ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની વેકસીનની તૈયારીની સમીક્ષા માટે આજે અમદાવાદ આવવાના છે. મોદી આજે શનિવારે સવારે 9.30 વાગે અમદાવાદ આવશે અને ત્યાંથી ચાંગોદરમાં ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે જવાના છે. જેને લઇને અમાદાવાદ એરપોર્ટથી લઇને ચાંગોદર સુધી જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આજે બપોરે એરપોર્ટથી ચાંગોદર સુધીના રુટ ઉપર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લા પોલીસ સહિત સંખ્યાબંધ પોલીસ કાફલો ખડકીને ચાંગોદરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ (કેડિલા )કંપની દ્વારા કોરોની વેકસીન તૈયાર કરવામાં આવી રહી છે.
આજે વડાપ્રધાન મોદી દેશમાં કોરોના વેક્સીનની તૈયારીની સમીક્ષા કરશે. જે માટે તેઓ અમદાવાદ, પુના અને હૈદરાબાદ સ્થિત કોરોના વેક્સીન સેન્ટરની મુલાકાત લેશે અને વેક્સીન સંબંધિત તમામ માહિતી મેળવશે.