અમદાવાદના બાપુનગર સ્થિત શ્યામ શિખર કોમ્પલેક્ષ ખાતે બનેલ આગની ઘટના માં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ તે બિલ્ડીંગ ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે,નવાઈ ની વાત તો એ છે કે આ ગેરકાયદે બાંધકામ ભાજપ ના નેતા ની રહેમ નજર હેઠળ બન્યું હોવાનું બહાર આવ્યું છે, શ્યામ શિખર કોમ્પલેક્ષ માં કેટલુંક કામ ગેરકાયદેસર છે અને તે ભાજપના નેતા વલ્લભ કાકડિયાનું કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે, આ સિવાય ભોંયરામાં ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી હતી.
અહીં ફાયર સેફટી નો પણ અભાવ જોવા મળ્યો હતો, 20 દુકાનો બળીને ખાખ થતાં કરોડોનું નુકસાન થયું છે. બાપુનગરમાં આ કોમ્પલેક્સ મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. મોબાઈલ, જવેલરી સહિત બેન્કનું ATM પણ આગ માં સ્વાહા થઈ ગયું હતું.
નેતાજી ના આ ગેરકાયદે બાંધકામ અને ફાયર સેફટી ના નિયમો ના ઉલ્લંઘન નો કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
