સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિબિલ કાયદા નો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ભારત બંધ નું એલાન પણ આપી ચુક્યા છે ત્યારે આ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 14મો દિવસ છે. 6 વખત આ મુદ્દે વાતચીત કર્યા બાદ પણ તેનો ઉકેલ આવી શક્યો નથી.
દરમ્યાન સરકારે આજે કાયદામાં ફેરફારના 10 મુદ્દા લખીને પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ ખેડૂતોએ આ પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે. તેઓ કૃષિ બિલને રદ કરવાની માંગ પર અડગ છે. ખેડૂતો નું કહેવું છે કે હવે સમગ્ર દેશમાં આંદોલનને વેગવંતું બનાવાશે અને અંબાણી-અદાણીની પ્રોડક્ટ સહિત હવે થી ભાજપના નેતાઓનો બોયકોટ કરવામાં આવશે અને હવે પછી થી આંદોલન ને વધુ તીવ્ર બનાવવા માં આવશે.
આમ સરકાર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ યથાવત રહેતા આંદોલન ચાલુ રહેશે.
