નવી દિલ્હીઃ ભારતના આગામી 26મી જાન્યુઆરી,2021ના પ્રજાસત્તાક દિવસના સમારોહના મુખ્ય અતિથિ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હશે. બ્રિટનના વડાપ્રધાને ભારત તરફથી આપવામાં આવેલુ આમંત્રણ સ્વીકારી લીધુ છે. બ્રિટન માટે આ મોટું સમ્માન જણાવતા પીએમ મોદીએ G7 સમિટ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેની મેજબાની બ્રિટેન કરવા જઈ રહ્યું છે. યૂકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંગળવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી.
બ્રિટેનના વિદેશ મંત્રીએ એ પણ કહ્યું કે, તેમનો દેશ ભારતની સાથે આર્થિક સંબંધ મજબૂત કરવા માગે છે. આ મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, તેમને આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઊભા થયેલા પડકારો પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, અમે અફગાનિસ્તાનની પરિસ્થિતિ અને ખાડી દેશ, હિંદ-પ્રશાંત ક્ષેત્ર સંબંધી ગતિવિધિયોની સમીક્ષા કરી.
ઉલ્લેખનિય છે કે, ગણતંત્ર દિવસ પર બ્રિટેના પીએમ બોરિસ જોનસન મુખ્ય અતિથિ બનશે. છેલ્લા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરી 2021 ના ગણતંત્ર સમારોહ માટે બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને મુખ્ય અતિથિ બનાવવાનું આમંત્રણ આપ્યું હતુ. 27 નવેમ્બરના ફોન પર વાતચીત દરમિયાન જોનસને પીએમ મોદીએ આ નિમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને જોનસને સ્વીકર કરી લીધુ છે. બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે પણ તેની પુષ્ટી કરી છે.
બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ ભારતના પ્રવાસ પર છે. તેમણે આજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે ભારતની સાથે આર્થિક સંબંધ મજબૂત કરવા માગીએ છીએ. તેમણે કહ્યું કે, આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઊભા થયેલ પડકાર પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે, 27 વર્ષ બાદ બ્રિટીશ વડાપ્રધાન આવતા મહિને ભારતના 70 મા પ્રજાસત્તાક દિન પર મુખ્ય મહેમાન બનશે. આ પહેલા જ્હોન મેજર 1993 માં નવી દિલ્હીમાં યોજાયેલા રિપબ્લિક ડે પરેડમાં ભાગ લઈ ચૂક્યા છે.