રાજ્ય માં સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી માટે હવે ઉમેદવારો જાહેર કરાયા બાદ પ્રચાર પ્રસાર ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ આજે ગુરુવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરનાર છે. કોંગ્રેસ દ્વારા એક વર્ષનો ટેક્સ માફ કરવા સાથે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, વર્ગ-3-4માં ભરતી કરવા તેમજ દરેક વોર્ડના આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધા સજ્જ કરવા સહિત ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કેગની ઓડિટ પદ્ધતિ દાખલ કરવાની બાબતો ઢંઢેરામાં જાહેર કરાશે.એમ સૂત્રો નું કહેવું છે.
બીજી તરફ સરદારનગર અને ઓઢવમાં કોંગી ઉમેદવારોના ફોર્મ રદ થતાં અહીં અપક્ષો ઉમેદવારોને મનાવીને કોંગ્રેસ તરફથી લડાવવા માટેની વ્યૂહરચના હાથ ધરાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. આ માટે અપક્ષો સાથે કોંગ્રેસે વાટાઘાટો પણ શરૂ કરી છે. જો કે, આજે ગુરુવારે સ્થિતિનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. નોંધનીય છેકે નારણપુરા બેઠક પર મહિલા ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ માટે બિનહરીફ જાહેર થઈ છે.