હાલ માં ચૂંટણી નો માહોલ છે અને નેતાઓ માં એકબીજા થી એલર્જી છે અને પક્ષ માં જ આંતરિક વિખવાદ નજરે પડી રહ્યો છે અમદાવાદ ના ગોમતીપુરમાં યોજાયેલી એક જાહેર સભામાં શહેર કોંગ્રસના સ્થાનિક નેતા ડો. અમિત નાયક પ્રચાર માટે ગયા હતા અને તેઓ મંચ પર બેઠા હતા. દરમિયાનમાં પ્રચાર માટે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ આવતા તેઓ ત્યાં બેઠેલા નાયકને જોઇને નારાજ થઇ ગયા હતા. તેઓ ને ગુસ્સો એટલો બધો આવ્યો કે ગોમતીપુર વોર્ડના ઉમેદવારોને સ્પષ્ટ ભાષા માં જણાવી દીધું કે મંચ પરથી નાયક પર ઉતરશે તો જ તેવો સંબોધન કરશે તેવી જીદ પકડતા સ્થાનિક આગેવાનો મુંઝાઈ ગયા હતા પણ છેવટે નાયકને મંચ પરથી નીચે ઉતરી જવું પડયું હતું. આ બાબતે ડો. નાયકે પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રજૂઆત કરી હતી.
વિગતો મુજબ ગોમતીપુરમાં જાહેર સભામાં બાપુનગરના કોંગ્રેસના નેતા ડો. અમિત નાયક મંચ પર બેઠા હતા. આ જાહેરસભામાં સંબોધન કરવા માટે ધારાસભ્ય હિંમતસિંહ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હિંમતસિંહ સભા સ્થળ પર આવી પહોંચતા તેમણે મંચ પર અમિત નાયકને જોયા હતા. અમિત નાયકના જણાવ્યા મુજબ મને સ્ટેજ પર જોઇને તેઓ ગુસ્સે થયા હતા. તેમણે ઉમેદવારોને બોલાવીને ચીમકી આપી હતી કે,નાયક મંચ પર બેસશે તો હું મંચ પર આવીશ નહીં. આથી ગોમતીપુર વોર્ડના ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે નાયકને તેમણે જ આમંત્રણ આપીને બોલાવ્યા હતા. નાયકને મંચ પરથી ઉતારે તો તેમનું અપમાન થાય,પણ ધારાસભ્યએ ઉમેદવારોને ચૂંટણી હવે તમારી રીતે જીતી લેજો તેવી ચીમકી આપતા છેવટે નાયકને સ્ટેજ પરથી ઉતરી જવું પડયું હતુ.આ ઘટનાથી વ્યથિત નાયકે પ્રદેશ પ્રમુખને ધારાસભ્યની દાદાગીરી સામે પગલાંની રજૂઆત કરી હતી. આમ પક્ષ માજ નેતાઓ ને મનમેળ નથી ત્યાં આ જનતા ની શુ સેવા કરવાના તેવી કોમેન્ટ ઉઠવા પામી હતી.