ગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીની ‘એન્ટ્રી ’ થઈ ચુકી છે. કોંગ્રેસ નું પત્તુ કાપી ને AIMIMએ અમદાવાદમાં જમાલપુરમાં 4 બેઠક જીતી આખી પેનલ કબજે કરી લીધી છે. જ્યારે અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 157 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે.
ઓવૈસી ની પાર્ટી એ જે કહેવાતું હતું તેજ થયું અને કોંગ્રેસ ને નુકસાન કર્યું છે. ગુજરાત માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અત્યાર સુધી ટક્કર થતી હતી તેના બદલે ઓવૈસી અને કેજરીવાલ ની પાર્ટીઓ એ પ્રવેશ કરતા ભાજપ બાદ આ બંને પાર્ટીઓ નો દબદબો વધ્યો છે અને કોંગ્રેસ ને નુકસાન થઈ રહ્યુ છે.
