અમદાવાદમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે અને ગઈકાલે જ નવા 126 કેસ નોંધાયા હતા અને 1 દર્દીનું મોત થઇ જતા મનપા દ્વારા જ્યાં નિયમો નો ભંગ જણાતો હતો ત્યાં 8 વાગ્યા બાદ હોટલો બંધ કરાવાઈ હતી સાથેજ જ્યારે 9 જેટલાં વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.
જેમાં થલતેજના ઈન્દ્રપ્રસ્થ-8માં 44 ઘરને કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. આ ઘરોમાં લગભગ 150 લોકો રહે છે. આ ઉપરાંત થલતેજના આદિત્ય બંગલોઝમાં પણ 17 મકાનને કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિનગર, ઘોડાસર, ખોખરા, નારણપુરા, સરખેજ, બોપલમાં પણ કન્ટેઈનમેન્ટ છે.
છેલ્લા 10 દિવસથી શહેરમાં કોરોનાના કેસ વધ્યાં છે. 1થી 8 માર્ચ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં કોરોનાના દર્દીની સંખ્યા લગભગ બમણી થઈ છે. 1 માર્ચે દર્દીની સંખ્યા 159 હતી જે વધીને 8 માર્ચે 298એ પહોંચી છે. સિવિલમાં એક અઠવાડિયામાં જ 65 દર્દીની સંખ્યા 30 ટકા વધી છે. આમ અમદાવાદ માં ફરી પાછું ટેંશન ઉભું થયું છે.