અમદાવાદ મનપા ની વિચિત્ર કામગીરી ને લઈ હવે લોકો અને વેપારીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ કોરોના ફેલાતો હોવાનું જણાવી હોટલો અને રેસ્ટોરન્ટ તંત્ર બંધ કરાવી રહ્યું છે તો બીજી તરફ ક્રિકેટ સ્ટેડિયમ માં એક લાખ લોકો ભેગા કરવા તંત્ર કામે લાગ્યું છે ત્યારે શું ક્રિકેટ સ્ટેડિયમ માં લોકો ભેગા થાય તો કોરોના નહિ થાય ? તેવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાનારી પહેલી ટી-20 મેચ માટે મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.32 લાખની પૂરેપૂરી કેપેસિટીથી ભરવાનો નિર્ણય લેવાયો છે. ભીડનો વિક્રમ સર્જવા માટે કરાયેલા આ નિર્ણયથી કોરોના બેકાબૂ બનશે તો કોને જવાબદાર ઠેરવવા? બે દિવસમાં જ 48 હજાર ટિકિટનું બુકિંગ થઈ ગયું છે. હાલ રૂ.500ની ટિકિટ મળતી નથી. માત્ર રૂ.2 હજાર અને 2500ની ટિકિટ જ ઉપલબ્ધ છે. બુકમાય શોએ ઓનલાઈન રૂ.500 અને રૂ.1 હજારની ટિકિટના સ્લોટ બ્લોક કરી દીધા છે. આથી લોકો રૂ.500ની ટિકિટ સ્ટેડિયમ પરથી મળશે તેમ માની મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પરંતુ અહીં આવ્યા પછી લોકોને ખબર પડી હતી કે, રૂ.500 અને 1 હજારની ટિકિટો ઓફલાઈન અપાતી નથી. આમ તંત્ર ની બેવડી નીતિ સામે જનતા સવાલો ઉઠાવી રહી છે કે હોટલો માં ભીડ થી કોરોના થાય પણ સ્ટેડિયમ માં ન થાય તેમજ ચુંટણીઓ પણ થતો નથી એમ તંત્ર નું માનવું છે બસ આજ વાત સામે પબ્લિક ને વાંધો છે.
