રાજ્ય માં કોરોના નું સંક્રમણ વધતું જઇ રહ્યું છે બીજી તરફ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે શુક્રવારથી પાંચ મેચની ટી-20 સિરીઝની પહેલી મેચ શરૂ થઇ રહી છે. એક તરફ કોરોનાનો કહેર છે ને બીજી બાજુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ માટે 70 હજાર ટિકિટ અત્યારસુધીમાં વેચાઈ ચૂકી છે તેવે સમયે ભીડ એકત્ર થતા કોરોના મામલે અનેક સવાલો ઉઠ્યા છે.
ગુજરાતમાં કોરોનાના નવા દર્દીઓનો આંક 700ની સપાટી વટાવી 710 પર પહોંચ્યો છે. સુરતમાં નવા કેસનો આંકડો 200ની સપાટી વટાવી ગયો છે. ત્યારે રાજ્ય માં ફરિથી વધી રહેલા કોરોના ના દર્દીઓ ને લઈ ચિંતા જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારની નજીક પહોંચ્યો છે અને હાલ 3788 એક્ટિવ કેસ છે. જ્યારે 12 જાન્યુઆરી બાદ 700થી વધુ કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 710 કેસ નોંધાયા છે. જ્યારે 451 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આજે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 4,418 યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 97.03 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે તેવે સમયે ભીડ એકત્ર નહિ કરવાના બણગાં ફૂંકતા સતાધીશો જ નિયમો ની ઐસી તૈસી કરી રહ્યા છે તેઓ ને કોણ દંડ કરશે ?
