ગુજરાતમાં પણ એક બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે જેને બચાવવા માટે 16 કરોડ ની કિંમતના મોંઘા ઇન્જેક્શન ની જરૂર છે જે માટે દાતાઓ આગળ આવી રહ્યા છે વલસાડ શહેર માં રાજપૂત સમાજ દ્વારા પણ આ બાળક ની મદદ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને વલસાડ ક્ષત્રીય રાજપુત સમાજ અને સત્યડે દૈનિક દ્વારા લોકો ને મદદ ની ટહેલ નાખવામાં આવે છે અને દાતાઓ ને મદદ કરવા અપીલ કરવામાં આવી રહી છે.
આજરોજ વલસાડ ક્ષત્રિય રાજપૂત સમાજ ના વડીલો યુવાનો સાથે મળી ને આજરોજ વલસાડ મોગરાવાડી ખાતે બાપાની મઢુંડી એ થી નીકળી વલસાડ ટાવર,વલસાડ રવિવારી બજાર,વલસાડ એસ.ટી.ડેપો,તિથલ બીચ પર સહેલાણીઓ દુકાન ધારકો વેપારી વર્ગ તમામ દાતાઓ પાસેથી ફંડ ઉઘરાવાની આજરોજ શરૂઆત કરવામાં આવી હતી અને આ ધૈર્યરાજસિંહ રાઠોડ માટે ની મુહિમ એક અઠવાડિયા સુધી ચલાવવામાં આવશે વલસાડ ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે વલસાડ જંગનાથ મંડળ અને તિથલ ના સરપંચ અને યુવાનો એ પણ આ મુહિમ ને ઉપાડવામાં આવી છે અને વધુમાં વધુ લોકો વલસાડ ની જનતા અને અનેક સમાજ પોતાનું યોગદાન આપે એવી અપીલ કરવામાં આવી હતી
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા ના કાનેસર ગામ નો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 16 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.
ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. આ માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.
ત્યારે વલસાડ રાજપૂત સમાજ અને સત્ય મીડિયા હાઉસ દ્વારા દાતાઓ ને વધુ ને વધુ ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી પ્રમાણે મદદ કરવા અપીલ કરવામાં આવે છે.