રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આજે સવારે છાતીમાં દુખાવો થતા તેઓ ને તાત્કાલીક દિલ્હીની આરએન્ડઆર આર્મી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં રાષ્ટ્રપતિનું રૂટિન ચેક-અપ કરવામાં આવ્યું છે અને તેઓ હાલમાં ડોકટરોની દેખરેખ માં સારવાર હેઠળ છે. જો કે રાષ્ટ્રપતિની હાલત સ્થિર છે. હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા આ બાબતની જાણકારી આપી હતી.
નોંધનીય છે કે તેઓ એ ગત તા.3 માર્ચે વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વેક્સિન લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સફળતાપૂર્વક દેશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવા બદલ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી.
