બાંગ્લાદેશ માં પીએમ મોદી નો પ્રવાસ કટ્ટરપંથી ઈસ્લામિક જૂથો ને પસંદ આવ્યો ન હતો અને આ કટ્ટરવાદીઓ એ હિંદુ મંદિરો પર હુમલા શરૂ કરી કાયરતા પ્રદર્શિત કરી હતી.
એટલું જ નહીં રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ નિશાન બનાવી હતી.
સમગ્ર બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ સાથે હિંસા શરૂ થઈ હતી. તેમાં જણાવાયું છે કે, મોદીની બાંગ્લાદેશ મુલાકાત વિરુદ્ધ ઈસ્લામિક જૂથોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે સર્જાયેલી ઘર્ષણ ની સ્થિતિ માં 12 લોકોના મોત થઈ ગયા હતા.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના 50મા સ્વતંત્રતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા બાંગ્લાદેશ માં ગયા હતા.
દરમ્યાન રાજધાની ઢાકામાં પોલીસે વિરોધ કરતા લોકો પર અશ્રુવાયુના ગોળા અને રબર બુલેટ પણ છોડ્યા, જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ. બાદમાં શનિવારે હજારોની સંખ્યામાં લોકો ચટગાંવ અને ઢાકાના રસ્તાઓ પર દેખાવો કરવા ઉતર્યા, જ્યારે રવિવારે હિફાજત-એ-ઈસ્લામ સંગઠનના કાર્યકરોએ પૂર્વ જિલ્લા બ્રાહ્મણબરિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો. તેમણે અનેક વાહનો અને સરકારી ઓફિસોમાં પણ આગચંપી કરી, ત્યારે અનેક લોકોને ગંભીર ઈજા થઈ.
PM મોદીએ દક્ષિણ-પૂર્વ સતખિરામાં આવેલા જેશોરેશ્વરી કાલી મંદિર માં પૂજન-અર્ચન કર્યું હતું. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. તેઓએ કહ્યું હતું કે, ‘મેં પ્રાર્થના કરી હતી કે માં કાલી દુનિયાને કોરોના મહામારીથી મુક્તિ અપાવે.’ નરેન્દ્ર મોદીએ કાલીકા માતાની પ્રતિમાને હસ્ત કલાકારો દ્વારા બનાવેલો મૂગટ પણ ચઢાવ્યો હતો. આ મુગટ ચાંદીનો બનેલો છે, જેમાં સોનાની પરત ચઢાવવામાં આવી છે.
મોદીએ કહ્યું હતું કે, ભક્તો ’51 શક્તિપીઠોમાં કાલી માતાના દર્શન કરવા માટે હંમેશા આતુર રહે છે અને PMએ નવરાત્રીના પ્રસંગની વાત પણ વાગોળી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે જ્યારે અહીંયા નવરાત્રીનો સમય હોય છે, ત્યારે માતાના દર્શન માટે સરહદની પેલે પારથી પણ ભક્તો અહીંયા દર્શન માટે આવે છે જેઓ ને રહેવા માટે આ મંદિરમાં એક કોમ્યુનિટિ હોલની પણ આવશ્યકતા છે. આ ભક્તો માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે ,ભારત સરકાર આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરશે.’તેમ તેઓ એ ઉમેર્યું હતું
જોકે,બાંગ્લાદેશ માં મોદીજી ની ઉપસ્થિતી કટ્ટરવાદીઓ ને ગમી ન હતી અને કાયરો એ હિન્દૂ મંદિરો ઉપર હુમલા કરી તેઓની હલકી માનસિકતા પ્રગટ કરી હતી.