અમદાવાદઃ મોટી ઉંમરના વ્યક્તિઓ અને યુવાઓને પોતાનો શિકાર બનાવ્યા બાદ હવે જીવલેણ કોરોના વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આવા જ ચિંતાજનક કેસ અમદાવાદમાં સામે આવ્યા છે જેનાથી નાના બાળકોના વાલીઓ અને ડોક્ટરોની ચિંતા વધી ગઇ છે.
અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત છે. તેમજ સારવાર આપવામાં આવી રહી છે. બાળકો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યા છે. જેને લઈને માતાપિતા અને તબીબોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમિત બાળકો અને તેમની માતા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.. બાળકોમાં વધતા કોરોના કેસને લઈને તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ડૉકટર રજનિશ પટેલે કહ્યું છે કે, સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના આંકડો 540 પર પહોંચ્યો છે.. જ્યાં સુધી લોકો જાગૃત નહી થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહી આવે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નોંધાઈ રહેલાં કેસો નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધી રહ્યા છે.ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 613 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી ત્રણ લોકોનાં મોત થયા છે. બે દિવસમાં શહેરમાં કુલ મળીને 1224 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે.હાલમાં કોરોનાના એકિટવ કેસોની સંખ્યા 1785 ઉપર પહોંચવા પામી છે.શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 69017 ઉપર પહોંચવા પામી છે. આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં સતત સાતમા દિવસે ગુરૂવારે કોરોનાના વિક્રમજનક 613 કેસ નોંધાવા પામ્યા છે.આ અગાઉ બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 611 કેસ નોંધાયા હતા.
ગત માર્ચથી એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 69017 કેસ નોંધાયા છે.અત્યારસુધીમાં શહેરમાં કુલ 64911 લોકો કોરોના મુકત થયા છે. ગુરૂવારે કોરોના સંક્રમિત થવાથી વધુ ત્રણ લોકોના મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2303 મરણ થવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1785 થવા પામી છે.