મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે વિનિવેશનો મોટો લક્ષ્ય રાખ્યો છે અને સરકાર કોઈપણ સંજોગોમાં તેને મેળવવાની કોશિશમાં લાગેલી છે. તે સિવાય ત્રણ વર્ષમાં સરકાર અસેટ મોનેટાઈઝેશનના માધ્યમથઈ 2.5 લાખ કરોડનું ફંડ એકઠુ કરવા માગે છે. નાણાકીય વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડના પ્રાઈવેટાઈજેશનનું લક્ષ્ય હાસલ કરવા માટે બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. બેંકોમાં ખાનગીકરણની પ્રક્રિયા ઝડપી થવાના કારણે સરકારી બેંકોએ ફંડ એકઠુ કરવા માટે પોતાની સંપત્તિઓના વેચાણમાં સ્પીડને સુસ્ત કરી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે બેંકોમાં જે છેલ્લા બે વર્ષમાં મર્જર પ્રક્રિયાથી બહાર છે. ખાસકરીને તે બેંકોએ અસેટ મોનેટાઈઝેશનની સ્પીડને ધીમી કરી દીધી છે. તેનું માનવું છે કે, જો તે પોતાની સંપત્તિ વેચશે નહીં તો બજારમાં વેલ્યુ વધારે મળશે. રોકાણકારોની આવી બેંકોમાં વધારે ઉતકંઠા હશે જેની પાસે બેંકિંગ સિવાય બીજા બિઝનેશ પણ છે જે સારીએવી અસેટ્સ પણ છે. જો કે મોદી સરકારની સરકારી બેંકોના ખાનગીકરણના નિર્ણયથી સરકારી બેંકોની ચિંતમાં વધારો થયો છે. સરકારી બેંકોની ચિંતાનું એક મોટુ કારણ એ છે કે, ખાનગીકરણમાં પ્રાઈવેટ બેંક્સ વધારે રૂચી દેખાડે છે.
અસેટ મોનેટાઈઝેશન પણ મોદી સરકાર માટે ઘણું મહત્વનું છે. પીએમ મોદીએ આવનારા ત્રણ વર્ષમાં અસેટ મોનેટાઈઝેશનની મદદથી 2.5 લાખ કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર લક્ષ્યને અડધું એટલે કે 1.3 લાખ કરોડ રૂપિયા રેલવે અને ટેલિકોમ સેક્ટરમાં અસેટ મોનેટાઈઝેશનથી એકઠી કરવા માગે છે. સરકારે 100થી વધારે એી સંપત્તિની ઓળખ કરી લીધી છે જેનું આવનારા સમયમાં વેચાણ થશે.અસેટ મોનેટાઈઝેશનને લઈને પીએમ મોદીની જાહેરાત બાદ નીતિ આયોગ આ કામને અંજામ દેવામાં લાગી ગઈ છે. તે સિવાય અલગ અલગ મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક સાધ્યો છે. નીતિ આયોગે રેલવેના અસેટ મોનેટાઈઝેશનની મદદથી 90 હજાર કરોડ એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તે સિવાય BSNL અને MTNLના ટેલિફોન ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રકચરને વેચીને 40 હજાર કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો છે.