રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતા હવે ફરીએકવાર લોકડાઉન આવે તેવી શક્યતાઓ વચ્ચે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને લોકડાઉન અંગે નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં પડશે. કોરોના સંક્રમણની ચેઇન ને તોડવા માટે રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચતા હવે સરકાર આ મામલે નિર્ણય લે તેવું મનાય રહ્યું છે.
