અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યુ છે જો કે સાવધાની રાખવાની જરૂર છે. ગુજરાતમાં આજે રવિવાર, 12 ડિસેમ્બરના રોજ 1175 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા 25 દિવસમાં સૌથી ઓછા નવા કેસ છે.
ગુજરાત રાજ્યમાં આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4541 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3,37,015 લાખ થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 42 દર્દીઓના મોત થયા છે આજે સુરતમાં સૌથી વધુ 15, અમદાવાદમાં 12, રાજકોટમાં 3, વડોદરામાં 6, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર અને જામનગરમાં 1-1 દર્દીનું સંક્રમણથી મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4697 પહોંચી ગયો છે.
આ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 2280 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 3,09,626 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.87 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 22,692 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 187 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં 2,82,268 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 2,24,301 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 50,455 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 76,30,525 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 9,84,583 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 86,15,108 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.