દેશમાં કોરોના એ ભયાનક રૂપ ધારણ કરી લીધું છે અને છેલ્લા 24 કલાકમાં જ 1લાખ 69 હજાર 914 કેસ નોંધાતા તેની ગંભીરતા નો ખ્યાલ આવી શકે છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ 10 એપ્રિલના રોજ 1 લાખ 52 હજાર 565 કેસ નોંધાયા હતા તેના કરતાં આંક વધ્યો છે, સાથેજ નવા કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગતરોજ કોરોનાને કારણે 904 લોકોનાં મોત થયા નું સામે આવ્યું છે જે છેલ્લા 6 મહિનામાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગયા વર્ષે 17 ઓક્ટોબરે સૌથી વધુ 1,032 લોકોનાં મોત થયાં હતાં.
કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ આજે 12 લાખને પાર થઈ ચૂકી છે, ગતરોજ એક્ટિવ કેસનો આંકડો 11 લાખ 95 હજાર 960 પર હતો.
અત્યારસુધીમાં 1 કરોડ 33 લાખ 25 હજારથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 1 કરોડ 21 લાખ 53 હજાર લોકો સાજા થયા છે. 1 લાખ 70 હજાર 209 દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં 10 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
આમ કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે અને અનેક લોકો મોત ને ભેટી રહ્યા છે.
