અમદાવાદના રાણીપ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેમને ચાર દિવસથી એકલા રહેવું ગમે છે અને પાંચ દિવસથી અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. તેઓને આપઘાત કરવાના વિચાર આવતા હતા. જેની પરિવારના લોકોને જાણ થતાં તેઓએ મહિલા હેલ્પલાઇન 181ને જાણ કરી હતી. અભયમ હેલ્પલાઈનની ટીમે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેઓને કોરોના થયો હતો. જેના કારણે તેઓને ક્વોરન્ટીન રહેવું પડયું હતું. બાદમાં બે વાર ફરી ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. જેથી કુલ દોઢ મહિના જેવું તેઓ એકલા રહ્યા હતા. જેથી તેઓને હવે ઘરના લોકો સાથે રહેવું નથી ગમતું અને ઘર છોડીને જતું રહેવું છે. ઘરના લોકો સાથે કોઈ અણબનાવ કે પ્રોબ્લેમ નથી. તેઓને હવે એકલા રહેવું ગમે છે આ બાબતે મહિલાના પતિ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પોતે બીમાર છે અને પત્નીની તેઓ આવી રીતે સેવા કરવા માંગતા નથી. જો તેઓ બીમાર થશે તો પત્નીની કોઈ જવાબદારી લેવા તૈયાર થશે નહિ. પતિની આ વાતથી મહિલાને એકલામાં લઈ જઈ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સ્ત્રીની લાગણીઓ અંગે વાત કરી અને પરિવારની હૂંફ અંગે વાત કરી હતી. બાદમાં તેઓ ખૂબ રડી ગયા અને જમ્યા બાદ ફરી તેઓને મહિલા હેલ્પલાઇન ટીમે સમજાવી તેઓને જે પ્રવૃત્તિ ગમે તે કરવી જોઈએ..
