અમદાવાદ માં ઇસનપુર ઘોડાસરમાં રહેતા 65 વર્ષીય રસિકભાઈ ઠાકોર નામના કોરોનાના દર્દી એ શારદાબેન હોસ્પિટલ ના પાંચમા માળે થી નીચે કૂદીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
આ ઘટના શનિવારે સવારે બની હતી શારદાબેન હોસ્પિટલના સ્ટાફની નજર ચૂકવીને રસિકભાઈ પાંચમાં માળે પહોંચી ગયા હતા અને પાંચમાં માળેથી છલાંગ મારીને આપઘાત કર્યો હતો. બીજી બાજુ હોસ્પિટલના સ્ટાફને આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતા તેમણે પોલીસને ઘટનાની જાણ કરી હતી. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. શહેરકોટડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી મૃતક રસિકભાઈના પરિવારજનોને ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસે તેમના પરિવારનું નિવેદન નોંધી અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રસિકભાઈ ગુમસુમ થઈ ગયા હતા. રસિકભાઈને મનમાં મોતના વિચારો આવતા હતા, રાતના સમયે બેચેની અનુભવતા તેઓ હોસ્પિટલના પાંચમા માળે પહોંચી ગયા હતા અને વહેલી સવારે નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આમ કોરોના એ હાહાકાર મચાવી દીધો છે અને ચારે તરફ બસ કોરોના ની જ વાતો થી હવે લોકો માં નિરાશા જોવા મળી રહી છે.
