અમદાવાદમાં કોરોના ની ભયંકર સ્થિતિ વિકટ બની છે ક્યાંય બેડ મળતા નથી,જગ્યા નથી,પૂરતા તબીબો નથી,ઓક્સિજન અને ઇન્જેક્શન ખૂટી પડ્યા છે આ બધી હાડમારી વચ્ચે વિપત્તિ સમયે જનતા ની વ્હારે અવવાને બદલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કોરોના માં સરકારી તિજોરી ભરવા તરફ વળ્યુ છે અને વધુ એક હોલ માં કોવિડ સેન્ટર તો બનાવ્યું પણ તે ખાનગી હોસ્પિટલને કોમ્યુનિટી હોલ ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે.
વિગતો મુજબ નારણપુરાના ડી. કે. પટેલ કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું
ઓક્સિજન સાથે 70 બેડનું ખાનગી હોસ્પિટલનું કોવિડ કેર સેન્ટર
મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી ખાનગી હોસ્પિટલ દ્વારા હોલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશને જનતા ની મદદે આગળ આવવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવાનો રસ્તો અખત્યાર કરતા વિવાદ જાગ્યો છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલને ખાનગી હોસ્પિટલને 70 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે આપી દેવાયો છે, ખરેખર તો જનતા માટે ફ્રીમાં સુવિધા ઊભી કરવી જોઈએ, એની જગ્યાએ તે ખાનગી હોસ્પિટલને હોલ ફાળવી એને કમાણી કરાવી રહ્યું છે.
રાજ્યમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન કેસો વધી રહ્યા છે. શહેરોમાં હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા જ નથી ત્યારે હવે કોવિડ સેન્ટરો અલગ અલગ જગ્યાએ ઊભાં કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં હવે કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલમાં ઓક્સિજન બેડ સાથે 70 જેટલાં બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં રહ્યું છે. આજે સવારે કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજન અને બેડ લગાવવામાં આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, 24મી એપ્રિલના રોજ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી વાતો વહેતી થઈ છે.
આમ વિપદા ના સમય માં જનતા નું જાણે કોઈ નહિ હોવાનું સપાટી ઉપર આવી રહયુ છે.