કોરોના સંક્રમણને કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી ઓફિસોને 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ નિયમનું પાલન થાય છે કે કેમ તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કુલ 275 ઓફીસમાં ચેકીગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર એકમમાં નિયમનો ભંગ થતા તેઓને સીલ મારવામાં આવ્યું છે. ઇસનપુરમાં આવેલો એરાયુરો ઓટો મોબાઇલ્સ, સીટીએમ ક્રોસીંગ પર આવેલા ગોકુલ ઓટો વર્લ્ડ, ન્યુ કલોથ માર્કેટ પર જૈન ટેક્ષસ્ટાઇલ અને સુમેલ બિજનેસ પાર્ક -1માં બી.એમ. ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે કોર્પોરેશનના નિયમો ભંગ કરનાર પાંચ એકમોને સીલ કરવામાં આવ્યાં છે. નિયમ મુજબ અમદાવાદમાં ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ ચલાવવાનો નિર્દેશ છે. જેથી કોર્પોરેશનની ટીમે 427 જેટલી ઓફિસ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી પાંચ ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હાજર હોવાથી કોર્પોરેશને આ ઓફિસને સીલ કરી છે. કોર્પોરેશને મકરબાની ગેલોપ્સ ઓટોહોસ, એસ.જી હાઈવે પર આવેલી મેસર્સ સી એન્ડ એસ, થલતેજમાં આવેલી એક્સિસ બેંકના હેલ્પ ડેસ્ક, નિકોલમાં રિદ્ધી કો, સર્વિસિસ અને વસ્ત્રાલની ક્રિષ્ના ડાયમંડની ઓફિસ સીલ કરી દીધી છે.
