અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોની સંખ્યામાં સતત બીજા દિવસે ઘટાડો થયો અને નવા કેસોના આંકડો 13 હજારની નીચે જતો રહ્યો છે. તેની સાથે જ કોરોનાનો દૈનિક મૃત્યુઆંક પણ એકંદરે સ્થિર રહ્યો છે.
ગુજરાતમાં આજે 2લી મે, 2021ના રોજ 12978 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 5,94,602 લાખ થઇ ગઇ છે. આ સાથે સતત બીજા દિવસે રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 153 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 7508 પહોંચી ગયો છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 11146 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 4,40,276 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 74.05 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 146818 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 7227 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકાના બીજા દિવસે ગુજરાતમાં આજે 18થી 44 વર્ષ સુધીના 25,712 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે.
તો 45થી વધુ વયના કુલ 32,333 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 57,495 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 25,57,405 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,24,31,368 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.