કોરોના ની મહામારી માં 18થી 44 વયજૂથના લોકોને રવિવારથી અમદાવાદમાં કોવેક્સિન આપવામાં આવનાર છે અને 45 વર્ષ ઉપરના લોકોને કોવિશિલ્ડ અપાશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને કોવિશિલ્ડ વેક્સિન અપાઈ હતી. પણ રવિવારથી આ વયજૂથના લોકોને કોવેક્સિન આપવામાં આવશે. જોકે વ્યક્તિએ જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેણે તે મુજબ બીજો ડોઝ લેવાનો રહેશે એટલે કે જેમણે પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ લીધી હશે તેમણે બીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે. જેમણે પ્રથમ ડોઝમાં કોવેક્સિન તેમણે બીજો ડોઝ કોવેક્સિનનો જ લેવાનો રહેશે તેમ આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે.
આરોગ્ય વિભાગના સંશોધન પત્રો મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા એફિશિયન્સિ હતી જ્યારે કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલુ રહેશે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં રસી બંધ રહેશે.
કોરોના મહામારી માં ચાલી રહેલા અભિયાન માં લોકો જોડાઈ રહયા છે.