કોરોના એ અનેક ઘર વેરાન કરી દીધા છે અનેક લોકો એ ઘરના મોભી ગુમાવતા આવા પરિવાર નિઃસહાય બની ગયા છે ત્યારે આવા પરિવારોને મદદ કરવા માટે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ આગળ આવ્યા છે. જે પરિવારે મોભી ગુમાવ્યા છે તેવા 5 પરિવારના બાળકોના શિક્ષણ ફી તેઓ ભરશે. ઉપરાંત 50 જેટલા પરિવારને જેમણે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે તેવા પરિવારને એક વર્ષનું કરીયાણું ભરી મદદ કરશે.ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય પોતે ખર્ચ ભોગવશે
ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અનેક લોકોના મદદ માટે ફોન આવતા હોય છે અને લોકોને બનતી મદદ કરવામાં આવે છે. ત્યારે ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં કોરોનાના કપરા કાળમાં જે પરિવારે મોભી ગુમાવ્યાં હોય અને આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો હોય એવા પાંચ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા કે એન્જિયરિંગ, મેડિકલ હોય તે ભણી ન રહે ત્યાં સુધીની ફી ઘાટલોડિયા વિધાનસભા ભાજપ દ્વારા ઉપાડવામાં આવશે.
ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે મદદ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી હતી
જેમાં 50 પરિવારને કરીયાણું ભરી આપશે ઉપરાંત 50 એવા પરિવારો જે સરકારનો લાભ નથી લઈ શકતા તેમજ કોરોના કારણે આર્થિક સ્થિત કથળી હોય અને રોજગારીનું કોઇ સાધન ન હોય તેવામાં પરિવારના ભરણ પોષણની તકલીફ હોય તેવા 50 પરિવારને એક વર્ષ માટે કરીયાણું ( અનાજ, ચોખા, દાળ, તેલ અને ખાંડ ) જેટલા પરિવારના સભ્યો હોય તે પ્રમાણે ભરી આપવામાં આવશે આ માટે જે પરિવારને ખરેખર જરૂર છે તેવા લોકો ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયના નંબર 079- 27402500 તેમજ કાર્યાલય મંત્રી રાજુભાઈ 9825096940નો સંપર્ક કરી અને જાણ કરી શકે છે. જે પરિવાર પોતાનો ઓળખ નહિ આપવા માંગે તો અમે તેમની ઓળખ પણ છુપાવી મદદ કરીશું. જે પણ પરિવારને જરૂર હશે તે જાણ કરશે તે માટે કાર્યકર તેની નાની તપાસ કરશે કે ખરેખર જરૂરિયાત છે કે કે કારણ કે કોઈ ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ મદદ માટે રહી ન જાય તે માટે કરી અને કીટ આપવામાં આવશે. આમ એક નેતા એ આવી ભાવના બતાવી તે મુજબ બધાજ નેતા પોતાના વિસ્તારમાં આગળ આવશે તો અનેક પરિવાર મદદ લઇ શકે તેમ છે.
