તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડું હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયું છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ ગણાવ્યું છે. તાઉ-તે વાવાઝોડું આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.વાવાઝોડાના કારણે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવાસારીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેનઝર સિગ્લન લગાવી દેવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં 90થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભલે અમદાવાદમાં વાવાઝોડું ત્રાટકે નહીં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. અમદાવાદીઓને પણ ચેતવણી છે કે રાત્રે કામ વિના ભૂલથી પણ ઘરેથી ના નીકળે.
તોઉ તે વાવાઝોડાની દહેશતને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સહિત અન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઈલેક્ટ્રિકસીટી બેકઅપ, પાણી માટે બેકઅપ, ઓક્સિજન બેકઅપ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પવનને કારણે ઈલેક્ટ્રિકપાવન જતો રહે તે માટે 4 ડિજિટલ જનરેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. સિવિલની આસપાસના વૃક્ષોનું ટ્રિમિંગ કરી દેવામાં આવ્યું છે. સિવિલમાં બાંધવામાં આવેલા મંડપ ઉતારી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો. જે.પી મોદીએ કહ્યું કે 1200 બેડની હોસ્પિટલમાં 2000 કે.વી જનરેટરની જરૂરિયાત છે જેની સામે આપણી પાસે 8000 કે.વી જનરેટર ઉપલબ્ધ છે.
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના કારણે રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા કમલ 144 કલમ લાગુ કરવામાં આવી. જેથી લોકો પણ બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા છે.
તાઉ-તે વાવાઝોડાને લઈને સુરતમાં વહીવટી તંત્ર સજ્જ છે.અને તમામ સ્થળો પર 24 કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. કોઈ દુર્ઘટના ન થાય તે માટે અધિકારોએ સ્થળ નિરિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા કમિશનર, રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર અને મેયર સુવાલી બીચની મુલાકાત લીધી હતી. લોકો બિન જરૂરી કાંઠા વિસ્તારમાં ન જાય તે માટે પોલીસ બાઝનજર રાખી રહી છે. દરિયા કાંઠાના વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. 39 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવે છે. 300થી વધુ વૃક્ષોનુ ટ્રીમિંગ કરાયુ છે.