કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા છે અને તેની સાથે સાથે અત્યાર સુધીમાં બીજી લહેર દરમિયાન 269 ડોકટરોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તમામ રાજ્યોના આંકડા જાહેર કર્યા છે.જોકે પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં ઓછા ડોકટરોના મૃત્યુ થયા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન 748 ડોકટરોએ જીવ ગુમાવ્યા હતા.જોકે દેશમાં સૌથી વધારે ડોકટરોના જીવ બિહારમાં ગયા છે. બિહારમાં કુલ 78 ડોકટરોના મોત થયા છે.બીજો ક્રમ યુપીનો આવે છે. અહીંયા 37 ડોકટરો કોરોનાના કારણે મોતને ભેટયા છે. દિલ્હીમાં 28 ડોકટરોએ જીવ ગુમાવ્યા છે તો આંધ્ર પ્રદેશમાં કોરોના 22 ડોકટરોને ભરખી ગયો છે.મહારાષ્ટ્રમાં કે જ્યાં કોરનાના સૌથી વધારે દર્દીઓ છે ત્યાં 14 ડોકટરોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યો છે.
