ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ રહ્યુ છે પરંતુ નવા કેસોની સંખ્યા ઘટી રહી છે જે સારી વાત છે. જો કોરોના મહામારીની બીજી લહેરમાં હજી સાવધાની રાખવાની બહુ જરૂર છે કારણ કે મહામારી ફરી ઉથલો મારી શકે છે.
ભારતમાં બુધવારે સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન ફરી એક વાર 2 લાખથી વધારે કેસો આવ્યા છે. જ્યારે 3842 લોકોના મોત થયા છે. આ અગાઉ બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં 2.08 લાખ નવા કેસ આવ્યા હતા અને 4157 દર્દીઓના જીવ ગયા હતા.
24 કલાકમાં 211553 નવા કેસ આવ્યા
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 2 લાખ 11 હજાર 553 નવા કેસ આવ્યા છે. જ્યારે આ દરમિયાન 3842 લોકોના મોત પણ થયા છે. ત્યાર બાદ ભારતમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા 2 કરોડ 73 લાખ 67 હજાર 935 થઈ ગઈ છે. જ્યારે 3 લાખ 15 હજાર 263 લોકોએ પોતાનો જીવ પણ ખોયો છે.
એક્ટિવ કેસમાંઘટાડો
આંકડા અનુસાર જોઈએ તો, દેશભરમાં છેલ્લા 24 કલાકમમાં 2 લાખ 82 હજાર 715 લોકો સાજા થઈ ગયા છે. જે બાદ દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 2 કરોડ 46 લાખ 26 હજાર 14 થઈ ગઈ છે. આ સાથે જ દેશભરમા એક્ટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને દેશભરમાં 2426658 લોકોની સારવાર ચાલી રહી છે.