રાજ્ય માં વિધાનસભા ચુંટણીઓ ને આમતો હજુ ઘણી વાર છે છતાં પણ રાજકીય પક્ષો માં બેઠકો નો દૌર શરૂ થયો છે અને આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આજે ખોડલધામ માં નરેશ પટેલે પાટીદારો ને પ્રાધાન્ય આપતા પક્ષ માં પાટીદારો નો સપોર્ટ રહેશે તેમ ઉમેરી આમ આદમી પાર્ટી તરફ પોતાનો ઝોક બતાવતા રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી તરફ અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે, જેના ઉદઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરશે. આ દરમિયાન પત્રકાર ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.
ત્યારે આગામી સમય માં ગુજરાત ના રાજકારણ માં ત્રીજા પક્ષ ની એન્ટ્રી મજબૂત બનવાની શરૂઆત થશે.
