અમદાવાદ માં આજે કેજરીવાલ છવાઈ ગયા છે અને આપ ના નવરંગપુરા પાર્ટી કાર્યાલય બહાર સ્વાગત માટે રોડ પર ગુલાબથી આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર બબીતા જૈન અને અન્ય મહિલા કાર્યકરો દ્વારા સુસ્વાગતમ અરવિંદ કેજરીવાલ લખ્યું છે. મહિલા કાર્યકરો દ્વારા બહાર ગરબા કરી અને ઢોલ નગારા વગાડી અને સ્વાગત કરવામાં આવશે, અમદાવાદ એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા, સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવવાનો લાંબો દૌર ચાલ્યો હતો.
