દેશમાં કોરોના ની જે બીજી લહેર પ્રસરી તેમાં સૌથી વધુ કેસો ગુજરાતના અમદાવાદ માં નોંધાયા હતા ત્યારે હવે માંડ કોરોના નું સંક્રમણ ઓછુ થયું છે ત્યારે સાબરમતી નદી માં કોરોના ની હાજરી અંગેની પૃસ્ટી થતા ફરી તંત્ર માં ચિંતા જોવા મળી રહી છે. દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોનાવાયરસ મળતા પાણીમાં પણ કોરોનાવાયરસ હોવાની પુષ્ટિ થઈ ચુકી છે ત્યારે હવે અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોનાવાયરસ મળતા ચકચાર મચી છે. પાણીનાં સેમ્પલ ની ચકાસણી દરમિયાન તમામ સેમ્પલ્સ કોરોના સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં 5 જેટલાં સેમ્પલ પોઝિટિવ આવતા અમદાવાદ ના પાણી માં કોરોના ની હાજરી જણાઈ આવી છે.
IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સંયુક્તરીતે આ અભ્યાસ કર્યો હતો જેમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે. આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોનાવાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી.
આમ હવે પાણી માં કોરોના ની હાજરી અંગે ખુલાસો થતા તે કેવી રીતે દૂર કરવો તે અંગે અભ્યાસ હાથ ધરી સંશોધન કરવામાં આવી રહ્યું છે.
