કોરોના સામે લડત માટે એક તરફ લોકો ને વેકશીન કેવા જાહેરાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ વેકશીન નો પર્યાપ્ત જથ્થો જ નહીં હોવાની હકીકત સામે આવી રહી છે.
વડાપ્રધાન મોદીજી એ દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત તા.21 જૂનથી કરાવી દીધી છે એમાંય વળી ગૃહમંત્રી અમિતશાહે અમદાવાદ બોડકદેવ સ્થિત હોલની મુલાકાત લઈને વેકશીન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હજી આ વેક્સિનેશનના મહાઅભિયાનના માત્ર પાંચ દિવસમાં જ વેક્સિન ખૂંટી પડતા સવાલો ઉભા થયા છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટરો ઉપર વેકશીન નો જથ્થો ન હોવાના બોર્ડ લાગતા આ વાત સપાટી ઉપર આવી છે.
પાલડી અર્બન સેન્ટર, ફતેપુર ગામની સરકારી શાળા, જોધપુર કામેશ્વર શાળા અને વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ સહિત કેટલાય સ્થળે વેક્સિન ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.
