અમદાવાદ માં એક ચાલક મહિલાએ રૂપિયાની લાલચમાં પોતાના પતિને વતન માં મોકલી દીધા બાદ પતિ ને મૃત જાહેર કરીને તેનું ડેથ સર્ટી મેળવી ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લઈ બીજે એકલી રહેવા જતી રહી હતી અને જ્યારે વતન માંથી પરત ફરેલો પતિ તે સરનામું મેળવી ત્યાં જતા જ પત્ની એ પતિ ને ઘર માં ઘુસવા નહિ દેતા આખો બોગસ વીમા ક્લેઇમ કૌભાંડ નો ચોંકાવનારો મામલો પ્રકાશ માં આવ્યો છે.
આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારમાં ઊર્મિ ( નામ બદલ્યું છે) અને વિનયભાઈ નામનું દંપતી પોતાની દિકરીના લગ્ન બાદ મકાન ભાડે રાખીને એકલા રહેતા હતાં. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાને કારણે મહેનત કરીને માંડ માંડ ઘર નું ગુજરાન ચલાવતાં હતાં. એક દિવસ ઊર્મિ બહેને પોતાના પતિ વિનયભાઈને કહ્યું હતું કે, આપણી આર્થિક સ્થિતિ સારી નથી અને મકાનનું ભાડુ પણ પોસાય તેમ નથી. જેથી તમે થોડા સમય માટે વતનમાં જતા રહો અને હું આપણી દિકરીના ત્યાં જઈને રહીશ તેથી થોડો સમય નીકળી જાય પછી કઈક કરીશું.
પત્નીની વાત માનીને વિનયભાઈ પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતાં. ત્રણેક મહિના બાદ તેઓ અમદાવાદ પરત આવ્યા અને તેમની દિકરીના ઘરે ગયા તો તેમની પત્ની ત્યાં મળ્યા નહોતા અને તપાસ કરી તો પત્ની એકલી ઠાઠ થી રહેતી હોવાનું જાણવા મળતા વિનયભાઈ એ યેનકેન રીતે સરનામું મેળવી જ્યાં પત્ની રહેતી હતી ત્યાં પહોંચી ગયા હતા પણ પત્નીને મળ્યા તો પત્નીએ ખુશ થવાને બદલે તેમને ઘરમાંથી કાઢી મુક્યા હતાં. જેથી તેઓ ત્યાંથી નિકળીને રસ્તા પર રખડતી હાલત માં થઇ ગયા ત્યારે તેઓને જાણવા મળ્યું કે, તેમની પત્નીએ તેમના વર્ષો પહેલા લીધેલા ઈન્સ્યોરન્સના નાણાં મેળવી લીધા છે.
આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે વિનયભાઈ જ્યારે મધ્ય પ્રદેશ ગયા ત્યારે તેમના મૃત્યુનું બોગસ સર્ટી બનાવીને ઈન્સ્યોરન્સના 8 લાખ રૂપિયા મેળવી લીધા હતા.આ વાતની
ખરાઈ કરવા રાજીવભાઈ જન્મ મરણ વિભાગમાં ગયા જ્યાં તેમના નામનું મરણ સર્ટી ઇસ્યુ થઈ ગયું હોવાની વાત સામે આવી હતી અને પોતાની જ પત્ની એ પોતાના ના મરણ ના નાણાં મેળવી ઠાઠ થી મોજ કરી પોતાને ઘર બહાર કર્યા નું સામે આવતા તેઓ એ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ કરી રહી છે.