અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 9 જુલાઇ, 2021ના રોજ 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,147 લાખ થઇ ગઇ છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 196 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,12,718 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.61 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં બે દિવસ બાદ ફરી બુધવારે કોરોના સંક્રમણથી એક દર્દીનું મોત થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10073 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1356 થઇ છે અને જેમાંથી હાલમાં 08 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં સળંગ ત્રીજા કોરોના રસીકરણ અભિયાન બંધ રહ્યુ હતુ. આમ ગુજરાતમાં ગત મંગળવાર સુધીમાં કુલ 2,73,25,191 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.