કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે તા. 11 જુલાઈના રોજ અમદાવાદ માં અનેક પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે. આ સમયે નજીક માં આવેલી સોસાયટી ના રહીશો ને પોતાના ફ્લેટસ ની બારીઓ બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે પોલીસે જણાવ્યુ કે આ એક સુરક્ષા ના ભાગરૂપે જનતા ને સહકાર આપવા રિકવેસ્ટ કરવામાં આવી છે.
આજે બોપલ ખાતે સવારે 9.30 વાગે યોજાનારા કાર્યક્રમ સ્થળથી શાહના હસ્તે અનેક રેલવે સુવિધાઓનું લોકાર્પણ કરાશે. જેમાં નવનિર્મિત ચાંદલોડિયા બાયપાસ સ્ટેશનની સાથે રિનોવેટ કરાયેલા અમદાવાદ સ્ટેશન, આંબલીરોડ સ્ટેશન, ખોડિયાર સ્ટેશન તેમજ કલોલ સ્ટેશન ખાતે પેસેન્જરો માટે શરૂ કરેલી સુવિધાઓનું ઓનલાઈન લોકાર્પણ કરાશે.
બોપલમાં સિવિક સેન્ટરમાં સવારે 10 કલાકે ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના, તથા વિવિધ યોજનાઓના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. બાદમાં 10.45 કલાકે ઔડા રીટિંગ સેન્ટરની મુલાકાત લેશે. આ બાદ 11 કલાકે વેજલપુરમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટની મુલાકાત લેશે અને સાંજે 4 કલાકે સાણંદ APMCમાં સરકારની વિવિધ યોજનાનાના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કાર્યક્રમ કરશે. તેઓ કાલે 12મી જુલાઈએ સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
