અમદાવાદ માં અષાઢી બીજ ના રોજ સોમવારે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળનાર હોય આજે રથયાત્રા પૂર્વે ભગવાન સોનાવેશ ધારણ કરશે. વર્ષમાં એકવાર ભગવાનને સોનાવેશ પહેરાવવામાં આવે છે. સોનાવેશના યજમાનો અને ભક્તો આજે ભગવાનના સોનાવેશના દર્શન કરી શકશે. સાથેજ આજે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા રથનું પરંપરાગત રીતે પૂજન થશે.
મુખ્યમંત્રી રૂપાણી આજે સાંજે 6.30 વાગ્યે જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતીમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ચર્ચા કરશે.
