અમદાવાદ માં સોમવારે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે આ પહેલા આજે અનેક વિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન આજે અમદાવાદના મુસ્લિમ બિરાદરોએ કોમી એખલાસ ના ભાગરૂપે મંદિર ને ચાંદી નો રથ અર્પણ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે
સતત 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. જે આ વર્ષે પણ પરંપરાગત રીતે અર્પણ કરવામાં આવ્યો છે. આજે મુસ્લિમ સમાજના આગેવાન રઉફ શેખ બંગાળી દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો.
આજે સવારે 9 કલાકે ભગવાન ના સોનાવેશ ના દર્શન તેમજ સવારે 10 કલાકે ગજરાજ ની પૂજા બપોરે 3 વાગ્યે ત્રણેય રથ ની પૂજા કાર્યક્રમો યોજાયા હતા.
