અમદાવાદમાં 144મી રથયાત્રા કોરોનાની ગાઇડલાઇન્સ અને કરફ્યૂ વચ્ચે યોજાઈ છે જોકે, મંગળા આરતી બાદ ખલાસીઓ ને રથ પાસે પોલીસે ઊભા ન રહેવા દેવા મામલે ખલાસીઓ અને પોલીસ વચ્ચે રકઝક થતા મામલો ગરમાયો હતો બીજી તરફ ખલાસીઓ ના કહેવા પ્રમાણે 120 ખલાસીની માંગ સામે 60ને જ પ્રવેશ અપાતા બપોરે 2 વાગ્યા સુધી રથ નિજમંદિર પરત ફરે એ વાત અશક્ય છે અને રથ નિજમંદિર લાવતાં 4 થી 5 વાગશે તેમ જણાવ્યું હતું. ખલાસીઓ અને પોલીસ વચ્ચે ચકમક ક્યાંથી ઝરી તો
120 ખલાસી મંદિર આવ્યા હતા. ત્યાર બાદ ખલાસીઓની બે ટીમ પાડવામાં આવી હતી. 60 ખલાસી સરસપુર અને 60 ખલાસી નિજમંદિર પ્રાંગણમાં રહેશે. અમે જે રથ ખેંચીને લઇ જવાના હતા એની બાજુમાં ઊભા હતા ત્યારે પોલીસે રથ પાસેથી ખસી જઈ બહાર ઊભા રહેવાનું કહેતાં રકઝક થઇ હતી. ખલાસીઓ ના કહેવા મુજબ સવારથી જ પોલીસ અમને મંદિરમાં આવતા રોકી રહી હતી અને અંદર આવી ગયા બાદ પણ પરેશાન કરતી હતી. આ અંગે અમે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરીશું કે રથયાત્રાના રૂટમાં અમને પરેશાન કરવામાં ન આવે.
પોલીસથી નારાજ થયેલા એક ખલાસીએ કહ્યું હતું કે રથ ખેંચવાની જવાબદારી અમારી છે. પોલીસ ની જેટલી જવાબદારી છે એટલી જ અમારી પણ છે. ખલાસીઓના એક અગ્રણીએ જણાવ્યું હતું કે રથની સુરક્ષાની જેટલી જવાબદારી પોલીસની છે એટલી જ અમારી છે. ભગવાનના રથ ખેંચીને લઈ જવા અને પરત મંદિરમાં સુરક્ષિત રીતે લાવવા એ કામ ધારીયે તેટલું સહેલું હોતું નથી. મંદિરમાં અમે રથને ખેંચવા માટે 120 ખલાસીની મંજૂરી માગવામાં આવી હતી. છેલ્લે સુધી બધું નક્કી થઈ ગયું હતું, પરંતુ અચાનક જ માત્ર 60 ખલાસીને જ રથને ખેંચવાની મંજૂરી આપવામાં આવી અને બાકીના 60 ખલાસીને સરસપુર મોકલી દેવામાં આવ્યા. હવે આ રથને સમય પ્રમાણે મંદિરમાં કેવી રીતે પહોંચાડીશું તે સવાલ છે ,પોલીસ અમને વારંવાર હેરાન કરી રહી હોવાનો તેઓ એ આક્રોસ વ્યક્ત કર્યો હતો.