અમદાવાદ શહેરમાં ચોમાસા ની શરૂઆત સાથે જ જુલાઈ ના 17 દિવસ માં જ ઝાડાઉલ્ટી, કમળા અને ટાઇફોઇડના કેસોમાં ઉછાળો આવતા તંત્ર દોડતું થઈ ગયું છે ગત. જુલાઈ માસમાં નોધાયેલા કેસ કરતા ચાલુ વર્ષે વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.
જ્યારે મચ્છરજન્ય રોગોમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તાર ના દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં નોંધાયા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈની અને પોલ્યુશનની અગાઉ થી જ ફરિયાદો છે.
આ સિવાય મેમનગર ગામ તેમજ જાદવનગરના છાપરા વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ઝાડા-ઊલ્ટીના કેસો વધ્યા છે.
કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો, ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરતા હોય આ એકમોને સાફ-સફાઈ માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે જુલાઈના માત્ર 17 દિવસમાંજ કમળાના 86, ટાઇફોઇડના 80 કેસ નોંધાયા હોવાનું સપાટી ઉપર આવતા તંત્ર દ્વારા બીનજરૂરી પાણી ભરાય ન રહે તે માટે લોકોને ધ્યાન રાખવા તેમજ સ્વચ્છતા કેળવવા AMCની અપીલ કરવામાં આવી છે
