રાજ્યભરમાં આજે તા.૨૦મી ઓગસ્ટના શુક્રવાર ના રોજ મોહર્રમ પર્વ મનાવાઇ રહ્યું છે પણ કોરોના વકરે નહિ તે માટે ચાલુ વર્ષે પણ અમદાવાદ શહેરમાં તાજિયા-જુલૂસ નહિ કાઢવા માટે નો નિર્ણય તાજિયા કમિટીએ લીધો છે, જોકે અમદાવાદ ના ઈમામ વાડા, જે તે ખાનકાહ સહિતના સ્થળોએ કલાત્મક તાજિયા બનાવીને જાહેરમાં મૂકવા સહિત વાએઝ જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાશે અને રોજા રાખી ઈબાદત કરશે પણ જુલૂસ નહિ કાઢીને યૌમે આશૂરા પર્વ સાદગીથી મનાવાશે. મોહર્રમ પર્વ નિમિત્તે મોહર્રમની આગલી રાત કતલની રાત તરીકે મનાવવામાં આવે છે, આ તબક્કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં રાતે પણ તાજિયા જુલૂસ નીકળતાં હોય છે, અલબત્ત, કતલની રાતે પણ આ વખતેય તાજિયા જુલૂસ નીકળ્યા નહોતા, એના બદલે જે તે ર્ધાિમક સ્થળે વાએઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, મોહર્રમના સાતમા દિવસે શિયા સમુદાયના લોકોએ પરંપરાગત રીતે માતમનો કાર્યક્રમ યોજ્યો હતો આમ કોરોના હાલ કાબુ માં છે ત્યારે કોરોના ફરી વકરે નહિ તે માટે તંત્ર ને સહયોગ આપવા કમિટી દ્વારા તાજીયા ઝુલુસ નહિ કાઢવા નિર્ણય લેવાયો છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમદાવાદમાં મહોરમમાં તાજીયાના જુલુસ નહિ નીકળે. અમદાવાદ પોલીસ તથા તાજિયા કમિટી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ આગેવાનોએ નાયબ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લેવાયો છે.
