આજે રવિવારે અમદાવાદ થી રેલવે મુસાફરી કરનારા માટે આ અહેવાલ આવી રહયા છે,અમદાવાદ માં રેલવે મુસાફરી કરવાનું આજે રવિવારે વિચારતા હોય તો આ સમાચાર પણ વાંચી લેજો કેમકે ક્યાંક તમારો ટાઈમ ન બગડે.
અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી જંક્શન સ્ટેશન નજીક રેલવે લાઇનની ઉપર ગર્ડરનું લોન્ચિંગ કરવાની કામગીરી ને પગલે રેલવેએ 5 સપ્ટેમ્બરે રવિવારે 5 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક આપવામાં આવ્યો છે, પરિણામે આજે રવિવારે સવારે લગભગ 9.30 વાગ્યા થી બપોર સુધી ટ્રેનોનું સંચાલન બંધ રહેશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, રાજકોટથી કોઈમ્બતુર જતી સ્પેશિયલ ટ્રેન સવારે 9.30 વાગે પસાર થયા બાદ બ્લોક શરૂ થશે, જેના પગલે અમદાવાદથી સોમનાથ જતી ટ્રેન રવિવારે અમદાવાદ અને સાબરમતી વચ્ચે કેન્સલ કરાતા આ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતીથી ઊપડશે. જ્યારે ઓખા-ગુવાહાટી પાર્સલ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર સિકંદરાબાદ-રાજકોટ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર રેગ્યુલેટ કરવામાં એટલે કે જ્યાં સુધી બ્લોક પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકી રખાશે.
આમ આજે આ રૂટ ઉપર બ્લોક અપાતા રેલ યાત્રીઓ અટવાય નહિ તે માટે અન્ય વિકલ્પ વિચારી શકે છે.
