રાજ્ય માં કોરોના ની ભયાનક મહામારી વખતે માતા-પિતા બંને અથવા બંનેમાંથી ગમે તે એકને ગુમાવનારા 0 થી 21 વર્ષ સુધીના બાળકો થી યુવાનો માટે માસિક 4000 સુધીની આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા બાળ સેવા યોજના અમલમાં મુકાયા બાદ હવે આ યોજના નો લાભ મળશે કે ફિન્ડલું વળી જશે તે સામે સવાલો ઉઠી રહયા છે.
રાજ્ય ના સુરત ની વાત કરવામાં આવતા અહીં છેલ્લા કેટલાક દિવસથી આ યોજનાના ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવાતા સરકાર ની આ યોજના સામે સવાલો ઉઠી રહયા છે.
સુરતમાંથી આ યોજના નો લાભ લેવા માટે લગભગ 1000 થી પણ વધુ ફોર્મ ભરાયા બાદ હજુ પણ ફોર્મ ભરવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં લોકો ઉમટી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા અચાનક જ યોજનાના ફોર્મ સ્વીકારવા બંધ કરી દેવામાં આવતા લાભાર્થીઓ હવે આ યોજના બંધ કરવા અંગે લોકો બાળ સુરક્ષા અધિકારીને સવાલો કરી રહ્યા છે, પરંતુ તેઓ યોગ્ય જવાબ નહિ મળતા લોકો મુંઝવણ અનુભવી રહયા છે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગત. તા. 7 મી જુલાઇના રોજ બાળ સેવા યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત કોરોનાના મહામારીથી માતા-પિતા બંને ગુમાવનારા ૦થી ૨૧ વર્ષ સુધીનાને દર મહિને રૂ.4000 ની આર્થિક સહાય જ્યારે માતા-પિતા બંનેમાંથી એકને ગુમાવનારાને માસિક રૂ. 2000 આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાત બાદ આવા લાભાર્થીઓ ફોર્મ ભરવા ઉમટ્યા હતા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા વચ્ચે સુરત માં હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે જેથી હવે આ યોજના માં લાભ મળશે કે કેમ ?તે અંગે સવાલો ઉઠી રહયા છે.