અમદાવાદમાં માતાપિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા પોતાના મૌજ-શોખ પુરા કરવા માટે આડાપાટે ચઢી ગઈ હતી. પિતા અને દાદી સાથે રહેતી સગીરાએ પોતાના શોખ પુરા કરવા ખોટા રસ્તે આગળ વધી ગઈ જોકે પિતાએ 181 અભયમ ની મદદ લેતા સગીરાને સમજણ આપી હતી.

આ આખી ઘટના પ્રકાર છે કે અમદાવાદમાં એક સગીરા પોતાની લાઈફ વૈભવી સ્ટાઇલ થી જીવા માટે અને મોંઘી વસ્તુઓના વપરાશ કરવા માટે સગીરાએ 5 6 થી છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા જેની જાણ પિતા ને થતા પિતાએ 181 અભયમ ને જાણ કરી અને મહિલક કોઉન્સલર ની મદદ થી સગીરા ને સમજણ આપી હતી.

આ 15 વર્ષીય સગીરા જયારે 2 માસની હતી ત્યારે બાળકીની માતા તેને મૂકી છોડી ને ક્યાંક ઘર છોડી ચાલી ગઈ હતી ત્યારબાદ સગીરાના પિતાએ બીજા લગ્ન કરવાની જગ્યાએ પુત્રીના ઉછેરમાં કોઈ કમીના આવે તે પ્રત્યે ખુબ જ ધ્યાન અને બીજા લગન ના કર્યા, સગીરાના પિતા આર્થિકરીતે કમજોર હોવાથી સગીરાએ પોતાના શોખ પુરા ના થવા થી આડાપાટે જઈ શોખ પુરા કરવાનું શરુ કર્યું પિતાને મોંઘીઘાટ વસ્તુઓ અને ચાલ ચલણ પર શંકા જતા તાપસ કરતા સગીરાએ જવાબો બરાબરના આપ્યા જોકે સગીરા રાત્રે મોડી પણ આવવા લાગી હતી તો દાદીએ ઠપકો આપ્યો પણ સગીરાએ દાદીને જ ઉલટું કહ્યું કે તું કોઈને કહીશ નહિ નહીંતર, વૈભવી લાઈફ સ્ટાઇલ અને મોંઘા કપડાં વસ્તુઓનો શોખ ના કારણે ખોટા રવાડે ચઢી ગયેલી પુત્રી માટે પિતાએ અભયમ ને જાણ કરી અને લેડી કોઉન્સેલરની મદદ લઇ પુત્રીને સમજણ આપી સગીરાએ પોતાની ભૂલો જોઈ અને ભૂલો સ્વીકારી પણ પિતાએ સગીરાને ઘરે ના રાખવાનો નિર્ણય લીધો અને સાથે રાખવા માટે ના પડી હતી જેથી પુત્રીને પરિજનોને ત્યાં મોકલવામાં આવી અને સમગ્ર મામલો થાળે પાડ્યો.
