અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: હપ્તોના ન મળતા શાકની લારીવાળાને જાહેરમાં જ રહેંશી નાખ્યો
અસામાજિક તત્વોએ પહેલા શાકભાજીની ગરીબની લારી લઈ ગયા ત્યારબાદ વ્યક્તિ રાત્રે બીજી લારી લઈને શાકભાજી વેચવા આવતાની સાથે જ છરો મારી રહેંશી નાખ્યો.
ઘટના આ પ્રકારે છે કે અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. અમદાવાદના ચાંદખેડામાં ગુનેગાર પોતાની દાદાગીરીથી ધંધા -વેપાર ને બંધ કરાવી શકે છે. ગુનાહખોરીની હદ એટલી વટાવી દીધી કે જાહેરમાં હત્યા કરતા પણ બિલકુલ અચકાતા નથી. ચાંદખેડા વિસ્તારમાં ગરીબ શાકભાજી ધંધો કરવાવાળાને જાહેરમાં જ હત્યા થઈ હોવની ઘટના સામે આવી છે. જોકે આ મામલામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરત પટણીના નામનો ગરીબ લારી લઈને ધંધો કરી રહ્યો હતો, ત્યારે બપોરના સમયે ભરત પટણીની લારી પર આવી બલ્લુ અને તેના ભાઈઓએ ત્યાં આતંક મચાવ્યો અને ગરીબની લારી ઉંધી કરી લારી લઇ ગયા. ભરત પટણીએ પોતાના સાથે બનેલા આ બનાવની પોલિસી ને જાણ કરી નહતી. જોકે રાત્રે ફરી આ અસામાજિક તત્વો આવ્યા અને ભરત ભાઈને બીજી લારી પર શાકભાજીના ધંધો કરતા જોઈ ફિલ્મી ઢબે આ લોકો એક રીક્ષામાં બલ્લુ વિઠ્ઠલ પટણી, વિઠ્ઠલભાઈ પટણી, લાલભાઈ પટણી, સુરેશ પટણી ત્યાં આવ્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓ એ ભરતભાઈને પકડી અને બલ્લુ પોતાની સાથે લાવેલા છરા વડે ભરતભાઇ પર હુમલો કરી દીધો. આ ઘટનાના સમયે ભરતભાઈને બચવા પરિવારે બુમાઓ પાડતા હુમલો કરનાર બધા ભાગી ગયા ત્યારબાદ ભરતભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ઈજાગરસ્ત ભરતભાઈને બચાવી શકાયું નહિ અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યુ હતું, આ પ્રકરણ માં પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે.