કોરોના માં લોકો બરબાદ થઈ ગયા છે અને તેમાંય ધંધા પડી ભાંગતા કેટલાય લોકો ચોરી ના રવાડે ચડ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા પ્રકાશ માં આવી રહયા છે.
આવાજ એક બનાવ માં સોનીના ધંધામાં મંદી આવ્યા બાદ બે વેપારીઓ ચોરી ના ધંધે ચડી ગયા હોવાની હકીકત ખુલવા પામી છે.
આ બન્ને વેપારીઓ સગપણ માં સાઢુ થાય છે અને તેઓ એ મંદિરો માં ભગવાન ના દાગીના ચોરવાનો પ્લાન બનાવ્યો અને 16 મંદિરમાં ચોરી પણ કરી કરી પરંતુ એક દિવસ તેઓ પોલીસ ના હાથે ઝડપાઇ ગયા અને ખેલ ખતમ થઈ ગયો હોવાની હકીકત ખુલી છે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી મંદિર ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ગાડી કબ્જે કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ અતુલભાઈ સોની અને ભરત સોની છે. આરોપીએ છેલ્લા 7 મહિનામાં 16 જેટલા મંદિર માં ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી દિવસના સમયે મંદિરમાં જતા અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હતા. સાથે જ બન્ને આરોપી સોની હોવાથી દાગીના ગાળી લેતા હતા. આરોપીઓ એ અમરેલી, ગારીયાધાર,માણસા,વિરમગામ, મહેમદાબાદ, સાણંદ, ધોળકા જેવા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. અતુલ સોની અને ભરત સોની બન્ને સોનાના દાગીના બનાવવાનુ કામ કરતા હતા. પરંતુ કોરોના બાદ ધંધામાં મદી આવતા જમીન દલાલીનુ કામ ચાલુ કર્યુ હતુ. જોકે તેમાં પણ મંદી આવતા માથે દેવુ થઇ ગયું હતું અને દેવામાંથી છુટવા માટે મંદિર માં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ આખરે તેઓનો આ ખેલ પણ ચાલ્યો ન હતો અને પકડાઈ ગયા છે.પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી
મંદિર માં ચોરી કરેલા મુદ્દામાલ અને ક્યાં ક્યાં વેચતા હતા વગરે તપાસ હાથ ધરી છે.
1
/ 100
SEO સ્કોર