9
/ 100
SEO સ્કોર
રાજ્ય માં ગ્રામ પંચાયત ની ચુંટણીઓ નો માહોલ જામ્યો છે અને રોજી રોટી કમાવા શહેરો માં વસતા પરિવારો પણ પોતાના વતન માં સરપંચ ની ચુંટણીઓ માં મતદાન કરવા જઈ રહ્યા છે.
સુરત માંથી પણ મોટા પાયે લોકો વતન માં જઇ રહયા છે.
સુરત માં સૌરાષ્ટ્ર ના અમરેલી, ભાવનગર ,રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના લોકો અહીં મોટી સંખ્યામાં રહે છે. આ વખતે 19 ડિસેમ્બરે સરપંચોની ચૂંટણી યોજાનાર છે ત્યારે વતન માં પોતાના માનીતા ઉમેદવાર ને મત આપવા જનારા લોકો એ એડવાન્સ બુકીંગ કરાવ્યું છે, હાલ સુરતથી 600 લક્ઝરી બસનું બુકિંગ થઇ ચૂક્યું છે અને સુરત માંથી 50 હજાર મતદારો વતન જશે. છેલ્લા એક અઠવાડિયાથી વરાછા, કતારગામ, મોટા વરાછા સહિતના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં વતન જવા માટે લોકો તૈયારીઓ માં પડ્યા છે.