નાપાક પાક ફરી એક વાર તેના અસલી રંગરૂપમાં અાવી ગયુ છે. 24 કલાકમાં પાકે ફરી બીજી વાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન. ઇન્ટરનેશનલ બોર્ડર પર શુક્રવાર સવારથી પાકિસ્તાન તરફથી આર.એસ.પૂરા, અરનિયા, રામગઢ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.સામાન્ય અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા માટે પાકિસ્તાને વહેલી સવારે ફાયરિંગ કર્યું છે.આ ગોળીબાર સવારે 6.40 વાગ્યે શરૂ થયો હતો અને આમાં એક મહિલા સહિત બે નાગરિકો માર્યા ગયા હતા. ભારતીય સેનાએ ગોળીબારનો વળતો જવાબ આપ્યો છે.
ગુરૂવારે પાકિસ્તાન તરફથી આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય લશ્કરના કોન્સ્ટેબલ શહીદ બન્યા હતા અને એક સ્થાનિક છોકરીનું મોત થયુ હતુ.ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના ત્રણ સૈનિકોને ઢેર કરીને પ્રતિક્રિયા આપી હતી. બીએસએફના ડિરેક્ટર જનરલ, કે.કે. શર્માએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પરિસ્થિતિ ખૂબ જ તંગ છે.તેમણે કહ્યું હતું કે અમારા સૈનિકોના ગોળીબારમાં પાકિસ્તાની સૈનિકોને ખુબજ નુકસાન થયું હતું અને તેમની બે મોર્ટાર પોસ્ટનો નાશ થયો હતો.તેમણે કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ અને દુશ્મનના મનસુબા કામયાબ થવા નહી દઈએ.