નેપાળ બોર્ડર અને ગુરુગ્રામથી ગ્રેનોમાં રહેતા ચીની નાગરિકોની ધરપકડના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
તપાસ એજન્સીઓને ચીની નાગરિકો અને તેમના મદદનીશ રવિ નટવરલાલની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ભારતમાંથી સેલફોન (મોબાઈલ) સ્ક્રેપ ખરીદતા હતા અને તેના પાર્ટ્સ (રેમ વગેરે) ચીન મોકલતા હતા.
મૂળ ગુજરાતી ડોકટર બનવા ચીન ગયો અને ડૉક્ટરને બદલે ભારતમાં આવી કથિત રીતે દેશદ્રોહી પ્રવૃતિમાં સામેલ થઈ ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે,પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
તપાસ એજન્સીઓને આશંકા છે કે સેલફોનનો ઉપયોગ કરતા લાખો ભારતીયોનો ડેટા આ ભાગો દ્વારા ચીનને મોકલવામાં આવ્યો છે. તેનાથી માત્ર જાસૂસી જ નહીં, દેશની સુરક્ષા અને સાયબર ફ્રોડનું જોખમ પણ વધી ગયું છે. આ ખુલાસા બાદ તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસમાં લાગેલી છે. રવિ નટવરલાલનું નામ 11 જૂનના રોજ ભારત-નેપાળ સરહદેથી બે ચીની નાગરિકો લુ લેંગ અને યુન હેલાંગ અને ગુરુગ્રામથી ઝુ ફાઈ અને તેની મહિલા મિત્ર રેનુઓ પાટેકોની નાગાલેન્ડથી ધરપકડ બાદ સામે આવ્યું હતું.
ગુલશન ઈકબાના સોસાયટી, નોઈડા સેક્ટર-143માં રહેતો મૂળ ગુજરાતી રવિ નટવરલાલ 2012માં MBBS કરવા ચીન ગયો હતો ત્યારે તે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને MBBS પૂર્ણ કર્યાના થોડા સમય પહેલા જ ભારત પાછો ફર્યો બાદમાં ચીનના શંકાસ્પદ નાગરિકોના સંપર્કમાં આવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હોવાની વાત સામે આવી છે.
તેણે સૌપ્રથમ ચીનની ઈલેક્ટ્રોનિક કંપનીમાં જોડાઈને ગુજરાતમાં જ કામ શરૂ કર્યું.
જ્યારે તેને ખબર પડી કે મોટાભાગની કંપનીઓ ગૌતમ બુદ્ધ નગરમાં બિઝનેસ કરવામાં રસ ધરાવે છે અને અહીં ચીનના નાગરિકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે તેણે અહીં આવીને બે કંપનીની આડમાં નવ કંપનીઓ બનાવીને લાખોના લેવડ-દેવડ અને વેપાર કરવાનું શરૂ કર્યું તપાસમાં રવિ નટવરલાલની કંપનીઓ મારફત મોબાઈલ સ્ક્રેપ વગેરેની ખરીદી અને વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં રહેતા નટવરલાલ અને ચીનના નાગરિકો દિલ્હીના સોનુ નામના ભંગારના વેપારી અને પાણીપતના અન્ય એક ભંગારના વેપારી સાથે સંપર્કમાં હતા.
ચીની નાગરિકો ભારતીયોની મદદથી આ ભંગાર ખરીદતા હતા. અત્યાર સુધી એવી આશંકા હતી કે તેઓ જૂના મોબાઈલમાંથી કિંમતી પાર્ટ્સ કાઢીને ચીન મોકલે છે પછી આ ભાગોનો ઉપયોગ કરીને તેને નવા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાનું કામ થતું હશે, પરંતુ હવે માહિતી મળી છે કે તેઓ એવા પાર્ટ્સને હટાવતા હતા જેમાંથી લોકોના ડેટાની ચોરી થઈ શકે. STFએ કોર્ટને રિમાન્ડ અરજી પર આરોપીને દિલ્હી અને પાણીપત લઈ જવાની વાત પણ કરી છે.
તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ કોર્ટમાં કહ્યું છે કે આ કેસમાં પકડાયેલા આરોપીઓ જૂના મોબાઈલ ખરીદે છે અને રેમ વગેરે કાઢે છે. આ તમામને ચીન મોકલવામાં આવે છે અને એવી આશંકા છે કે ભારતના લોકોના ડેટા ચીનને મોકલીને દેશની સુરક્ષાનો ભંગ કરવામાં આવ્યો છે.