વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણે ભેદી સંજોગોમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો અને એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરતો હતો. આજે રાત્રે યુવાને ગોલ્ફ વ્યુ એવન્યુ સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં પ્રિતમના મિત્રો પણ ગોલ્ફ વ્યુ એવન્યુમાં દોડી આવ્યા હતા. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તેના મિત્રોની પૂછપરછ પણ કરી હતી કારણકે ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.
ફતેગંજ પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.