ગોળીથી બીજાને મારનાર જ જયારે ખુદ ગોળીથી મરે છે ત્યારે એકપળ મન આ વિચારના ચગડોળે ચડે છે.જી, હા કાતિલોને પોતાના હોદ્દાની રૂએ ગોળીથી વિંધનાર કે હોદ્દાની રૂએ બંદૂકથી ડરાવનાર ને જ જયારે તેના નજીકના વ્હાલસોયા ગોળી ધરબી ઉડાડી દે ત્યારે ચર્ચા ચકચાર જગાવે છે. હાલ માં જ અમેરિકાના ન્યુ જર્સીમાં સંબંધોને કલંકિત કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. દાદા-દાદીએ તેમની દીકરીના દીકરાને અમેરિકા ભણવા આમંત્રણ આપ્યું. તેણે તેના સૂતેલા દાદા દાદી સાથે તેના મામાને ગોળી મારીને હત્યા કરી હતી. ન્યુજર્સીમાં ટ્રિપલ મર્ડરના સમાચાર ગુજરાતના આણંદ પહોંચ્યા ત્યારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાત પોલીસમાં ઈન્સ્પેક્ટરની નોકરી મળ્યા બાદ આ ગુજરાતી પરિવાર પહેલા આણંદ અને બાદમાં અમેરિકા શિફ્ટ થયો હતો. દીકરીના દીકરાને સારું ભણતર મળે તે માટે તેણે દોઢ વર્ષ પહેલાં તેને અમેરિકા બોલાવ્યો હતો. પરિવાર તેને પોતાની સાથે રાખતો હતો.
ત્યારે આ બનાવ અંગે વિશેષ વાત કરતા પહેલા જણાવી દઈએ કે, પોતાના ભાણેજના હાથે જ મૃત્યુ પામનાર દિલીપ બ્રહ્મભટ એક સમયે પીઆઇ હતા અને તેનાથી પણ વધુ પ્રકાશ પાડવામાં આવે તો, દિલીપ બ્રહ્મભટ્ટ ના સગાં ભાઈ કિરીટ બ્રહ્મભટ્ટ કે જે ડીવાયએસપી હતા અને આણંદ પંથકમાં તેમના નામથી જ લોકો ધ્રુજી ઉઠતાં તે કિરીટ બ્રહ્મભટ્ટને પણ કેન્સર થતા તેમણે ગોળી ખાઈ જાતે આત્મહત્યા કરી હતી.પરંતુ એક ચર્ચા તેવી પણ હતી કે તેમના ભાણેજની કરતૂતોથી તેઓ દુઃખી અને નારાજ હતા કે જે એક અસામાજિક તત્વ સમાન બની ચુક્યો હતો.અને કિરીટ બ્રહ્મભટ્ટ ના મૃત્યુ બાદ 2 વર્ષ અગાઉ આ જ ભાણેજની પણ સુરતમાં સરેઆમ હત્યા થઇ હતી.અને આ અગાઉ પણ આ બન્ને ભાઈઓ ના ત્રીજા ભાઈ અજિત બ્રહ્મભટ્ટે પણ વર્ષો અગાઉ શાસ્ત્રીનગર ખાતે તેમની પ્રેમિકા સાથે કોઈ વિવાદના પગલે પ્રેમિકા અને પોતાની જાતને પણ ઉડાડી મારી દીધી હતી.
દંપતી બાદ ઇજાગ્રસ્ત પુત્રનું મોત
ન્યુ જર્સી પોલીસને 27 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ ગોળીબાર થયાનો અહેવાલ મળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં દિલીપ બ્રહ્મભટ્ટ અને તેની પત્ની બિંદુ બ્રહ્મભટ્ટ મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના પુત્ર યશ બ્રહ્મભટ્ટની હાલત નાજુક હતી. યશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું. પોલીસે બ્રહ્મભટ્ટ પરિવાર સાથે રહેતા ઓમ બ્રહ્મભટ્ટને આ હત્યાનો આરોપી બનાવ્યો છે. હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. ન્યુ જર્સીની સાઉથ પ્લેનફિલ્ડ પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. મૃતક પરિવાર કોપોલા ડ્રાઇવ પરના એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ ઘટનામાં માર્યા ગયેલા દિલીપ બ્રહ્મભટ્ટ નિવૃત પોલીસ અધિકારી હતા અને બીલીમોરામાં સબ ઈન્સ્પેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. નિવૃત્તિ પછી તેઓ આણંદમાં સ્થાયી થયા. આ પછી તે યુએસ ગયો.
ઘટના બાદ ખુદ પોલીસને ફોન કર્યો હતો
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હત્યાનો આરોપી ઓમ બ્રહ્મભટ્ટ હતો જેણે પોલીસને બોલાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ઓમ બ્રહ્મભટ માત્ર 23 વર્ષના છે. ત્રણ લોકોની હત્યા કર્યા બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો અને પોલીસની રાહ જોઈને ઘરે બેઠો હતો. એવું પણ જાણવા મળે છે કે મૃતકો જ્યારે સૂતા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. બ્રહ્મભટ્ટ પરિવારના પડોશમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ ઓમ થોડા દિવસ પહેલા જ તેમની સાથે રહેવા આવ્યો હતો અને હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે.
હથિયારો ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ઓમ બ્રહ્મભટ્ટે ગુનામાં વપરાયેલ હથિયાર ઓનલાઈન ખરીદ્યું હતું. જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પણ તેના ચહેરા પર તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નહોતો. પોલીસ આરોપી ઓમ બ્રહ્મભટ્ટને મિડલસેક્સ કાઉન્ટી જેલમાં રાખી રહી છે. દિલીપ બ્રહ્મભટ્ટ નિવૃત્ત ડીએસપી કિરીટ બ્રહ્મભટ્ટના ભાઈ હતા. તપાસમાં સામે આવ્યું છે કે દિલીપ બ્રહ્મભટ્ટે ઓમને અભ્યાસ માટે અમેરિકા બોલાવ્યો હતો.
ત્યારે આ બ્રહ્મભટ્ટ પરિવાર કે જે પોલીસ ખાતામાં સારા હોદ્દા ધરાવતું હતું અને ક્યાંક તેમની ઇમેજ હોદ્દાના દુરુપયોગને કારણે બેફામ અધિકારીઓની પણ હતી.અને આ જ હોદ્દાથી તેમણે જે કરોડોનું નાણું એકઠું કર્યું હતું તે જ નાણું આજે જાણે તેમને નડ્યું હોય તેવી પણ ચર્ચો છે.કે પોલીસ ખાતામાં મોટાભાગે નાણું ખરાબ ધંધાઓમાંથી જ આવતું હોય એટલે ક્યાંય આ શ્રાપ પરિવારને નડી ગયો છે.
જેથી અહીં એક મેસેજ તે પણ જાય છે કે, નાણાંના લોભ-લાલચમાં આવતા પહેલા જાણી લવું જરૂરી છે કે, ખરાબ કર્મોની સજા તો અહીં ભોગવવી જ પડે છે.આજે આ પરિવારના મોટાભાગના લોકોનું નીકન્દન નીકળી ચૂક્યું છે.ત્યારે આ કિસ્સો નાણાં એક-કેન પ્રકારે સગે-વગે કરતા લોકો માટે વિચારવાલાયક છે.